Advertisement
Author: નોબત સમાચાર

અકસ્માત વળતરની રકમમાં વધારો કરવાની અપીલ હાઈકોર્ટે રાખી મંજૂર

રૃપિયા સાડા ત્રણ લાખથી વધુની રકમ ચૂકવવા આદેશઃ

જામનગર તા.૧૮ ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બાવીસ વર્ષ પહેલા સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનના વારસોને વળતર ચુકવવા ટ્રિબ્યુનલે હુકમ કર્યા પછી તે રકમમાં વધારો કરી આપવા હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. તે અપીલ મંજૂર રાખી હાઈકોર્ટે રૃપિયા સાડા ત્રણ લાખ ઉપરાંતની રકમનો વધારો મંજૂર કર્યાે છે.

જામનગરના જમનભાઈ વલ્લભદાસ નામના યુવાન ગઈ તા.૨-૯-૨૦૦૦ની રાત્રિએ પોતાના મિત્ર નરેશ નવીનચંદ્ર સાથે બાઈકમાં સિક્કાથી આવતા હતા ત્યારે બેડ નજીક એક ડમ્પર એક મેટાડોર સાથે ટકરાઈ પડ્યું હતું. તે બંને વાહન જમનભાઈના બાઈક સાથે અથડાતા જમનભાઈનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. તેથી તેમના વારસોએ વળતર મેળવવા ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી.

તે અરજી ચાલી જતાં રૃા.૬,૧૩,૮૦૦ની રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ થયો હતો. વળતરમાં વધારો કરી આપવા માટે અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલ ચાલી જતાં હાઈકોર્ટે રૃા.૩,૬૦, ૫૨૦ની રકમ વધારી આપી તેના પર સાડા સાત ટકા વ્યાજ પણ ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. અરજદારો તરફથી વકીલ એસ.કે. રાચ્છ, પ્રેમલ રાચ્છ, વિરલ રાચ્છ, સોહિલ બેલીમ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh