Advertisement
Author: નોબત સમાચાર

મનપાની ફૂડશાળા ત્રાટકીઃ જામનગરની બે મેડિકલ એજન્સીમાંથી ન્યુટ્રીશીયન, મલ્ટી વિટામિન શિરપના નમુના લેવાયા

જામનગર તા. ૧૮ઃ જામનગરની બે મેડિકલ એજન્સીઓમાં આજે મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા બે ખાદ્ય પાવડર અને શિરપના નમુના લેવામાં આવ્યા હતાં.

જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખાના અધિકારી દશરથ પરમાર, એન.પી. જાસોલીયા અને તેની ટીમ દ્વારા આજે શ્રીજી મેડિકલ સ્ટોર્સમાંથી મલ્ટી વિટામીન અને મલ્ટી મીનરલ શિરપ (ઝીંકોવીન્ટ)નો નમુનો લેવામાં આવ્યો હતો અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત યુનિવર્સલ એજન્સી નામના સ્ટોર્સમાંથી ન્યુટ્રીશીયન પાવડર - પીડીયા શ્યોરનો નમુનો લેવામાં આવ્યો હતો અને તેને પણ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. આ પાવડર બાળકોના વિકાસમાં ઉપયોગી છે. આમ ફુડ શાખાની ટીમ દ્વારા આજે બે મેડિકલ એજન્સીમાં નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh