Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આકરા તાપ અને લૂ થી જનતા ત્રસ્તઃ
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં છેલ્લા બે દિવસમાં ૧.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડીગરીએ પહોંચી ગયું હતું. નગરમાં વધતા તાપમાન અને ભેજના વધુ પ્રમાણના પગલે જનતા આકરા તાપ સાથે ગરમીનો પણ અનુભવ કરી રહી છે.
જામનગરમાં એપ્રિલ માસના મધ્યાંતર પછી તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. નગરમાં છેલ્લા ૪૮ કલાકમાં ૧.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રીએ અને લઘુતમ તાપમાન રપ ડીગ્રીએ પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહ્યું હતું. નગરના નભમાં સૂર્યદેવતા દેખા દેતા ધીમે ધીમે વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગે છે. જામનગરમાં વધતા તાપમાન અને વાતાવરણમાં ભેજના વધુ પ્રમાણના પગલે લોકોને ખાસ કરીને બપોરના સમયે આકરા તાપ અને ગરમીના ડબલ એટેકથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીમાંથી રાહત મળે તે માટે જનતા એસી, અને એરકૂલર સહિતના વિજાણુ ઉપકરણો તથા ઠંડાપીણાનો સહારો લઈ રહી છે.
જામનગરમાં છેલ્લા ઘણાં દિવસથી ઝપાટાબંધ રીતે તેજીલા વાયરાઓ ફૂંકાવાનો દોર ચાલી રહ્યો છે. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે આજે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag