Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના જ અન્ય મહિલાએ નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરના એક મહિલાએ રૃા.રપ લાખના ચેક પરતની બીજા મહિલા સામે અદાલતમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મહિલાનો છૂટકારો કર્યાે છે.
જામનગરના અંજલીબેન અલ્પેશભાઈ જોબનપુત્રા પાસેથી રૃા.૩૦ લાખ ઉર્વીબેન વિશાલભાઈ શાહે ઉછીના લઈ રૃા.પ લાખ પરત ચૂકવ્યા હતા. બાકીની રકમ માટે ચેક આપવામાં આવ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા બે વર્ષ પહેલા અંજલીબેને અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદી તથા આરોપીના પતિ વચ્ચે વ્યાપારીક સંબંધ હતા. તેમાં લેણ-દેણ માટે આપવામાં આવેલા બે ચેક ફરિયાદી પાસે રહી જતાં તેઓએ આ ચેકનો દૂરઉપયોગ કર્યાે છે. અદાલતે બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી આરોપી ઉર્વીબેન વિશાલભાઈ શાહનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ગીરીશ આર. ગોજીયા, સચિન એમ. હોરીયા અને દીપક કરમુર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag