Advertisement
Author: નોબત સમાચાર

કર્મચારીઓ તથા પેન્શનરોને મોંઘવારી ભથ્થાની બાકી રકમ ચૂકવી આપવા માંગણી

રાજ્ય સરકારને પત્ર લખીને રજૂઆતઃ

જામનગર તા. ૧૮ઃ રાજ્યના કર્મચારીઓ/ પેનશનરોને મોંઘવારી ભથ્થાની બાકી રકમ ચૂકવી આપવા અંગે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ રાજ્યના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, તા. ૧-૭-ર૦રર થી ગુજરાત રાજ્યના કર્મચારીઓ, પેન્શનરોને મોંઘવારી ભથ્થું કેન્દ્રના ધોરણે ૩૪ ટકામાંથી વધારી ૩૮ ટકા મુજબ સત્વરે ચૂકવી આપવું જોઈએ.

રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું કેન્દ્રના ધોરણે ચૂકવણી તા. ૧-૬-૧૯૮૭ થી નક્કી કરેલ છે. તેમાં કોઈ ફેરફાર થયેલ નથી. તેથી આ રકમ તા. ૧-૭-ર૦રર થી માર્ચ ર૦ર૩ સુધીની તાત્કાલિક ચૂકવવી જોઈએ.

આજની મોંઘવારીમાં પેન્શનરો વધુ પરેશાન છે. આથી સત્વરે બાકી રકમની ચૂકવણી કરવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh