Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણેય કેસમાં તકસીરવાન ઠરાવાયાઃ
જામનગર તા. ૨૮: જામનગર નજીકના ઢીંચડામાં વર્ષ ૨૦૨૧માં બે વખત અને વર્ષ ૨૦૨૨માં એક વખત એક આસામી વીજચોરી કરતા ઝડપાયા હતા તેઓની સામે ત્રણ જુદી-જુદી ફરિયાદો વીજ કંપની દ્વારા નોંધવામાં આવી હતી. વીજચોરીના આ ત્રણેય કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ત્રણેય કેસમાં ત્રણ ગણો દંડ ભરવા અથવા સજાનો હુકમ કર્યો છે.
જામનગર નજીકના ઢીંચડામાં ગઈ તા. ૬-૧-૨૧ તથા ૨૯-૪-૨૨ અને તા. ૯-૯-૨૧ ના દિવસોમાં વીજ કંપનીની ચેકીંગ ટુકડીએ ચકાસણી હાથ ધરી હતી જેમાં અજીતસિંહ હેમતસિંહ જાડેજા નામના આસામીને ત્યાં ચેકીંગ કરાતા આ ઘરમાંથી વીજચોરી મળી આવી હતી.
ત્યાર પછી અજીતસિંહ હેમતસિંહ સામે ઈલેકટ્રીસીટી એકટની કલમ ૧૩૫ હેઠળ ફરિયાદો કરવામાં આવી હતી તે કેસ ચાલી જતાં અદાલતે રજૂ થયેલા પંદર દસ્તાવેજી પૂરાવા અને ૬ સાક્ષીની જુબાની લક્ષ્યમાં લઈ ત્રણેય કેસમાં આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ ગણો દંડ તથા સજા ફટકાર્યા છે. સરકાર તરફથી પી.પી. રાજેશ વસીયર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial