Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ પુલ તોડી ગટરનો પ્રશ્ન હલ કરવા ન.પા. દ્વારા કામગીરી શરૃ

ખંભાળીયા તા. ૩૧ઃ ખંભાળીયામાં રેલવે સ્ટેશન રોડ પર સમગ્ર નવાપરા તથા ગોવિંદ તળાવ તરફથી વરસાદી પાણી આવતું હોય તથા ત્યાં ગટરનું પાણી જમા થતાં તેનો નિકાલ ના થતાં હોવાનો વર્ષો જુનો પ્રશ્ન હલ કરવા પાલિકા દ્વારા કાર્ય શરૃ કરવામાં આવ્યું છે.

સ્ટેશન રોડ પર પાળેશ્વર પાસે પરેશ ટ્રેડીંગની બાજુમાં આવેલ પૂલીયું તોડીને લાખોના ખર્ચે નવું પુલીયુંં તથા તેમાંં ગંંદા પાણીનો તથા વરસાદી પાણીનો નિકાલ થાય તેવા ગાળાઓ સાથેનું આયોજન પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યુું છે.

તે આ જુના પુલને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બન્ને તરફ વિકલ્પ રસ્તાઓ પર ડ્રાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઝડપથી નવો પુલ અને તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. વર્ષોથી અહીં ગંદા પાણીનો નિકાલ ન થતાં રહીશોને પરેશાની થતી હતી. વરસાદી પાણી ભરાતા હતા તેનો આ નવો પુલ બનતા આ પ્રશ્નનો નિકાલ થઈ જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh