Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'સેવા'નો આજે છેલ્લો દિવસઃ
જામનગર તા. ૩૧ઃ જામનગરની વિશ્વ વિખ્યાત દિગ્જામ કંપનીના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર અજયકુમાર અગ્રવાલ આજે દિગ્જામ કંપનીમાંથી સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. આજે તેમની સેવાનો છેલ્લો દિવસ છે. કામદારોમાં ભારે લોકચાહના ધરાવતા હોવાથી કામદારોમાં પણ સન્નાટો છવાયો છે.
જામનગર સ્થિત દિગ્જામ કંપની એ વિશ્વ ફલક ઉપર પોતાનું નામ રોશન કર્યું છે. આ કંપનીમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તીરેક ર૮ વર્ષ સુધી સેવા આપનાર અજયકુમાર અગ્રવાલ આજે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. આજે કંપનીની સેવામાં તેમનો છેલ્લો દિવસ છે.
દિગ્જામ કંપની બંધ થયા પછી લાંબો સમય સુધી બંધ રહી હતી ત્યારે આ કંપની પુનઃ શરૃ થાય અને કામદારોના અંધકારમય ભવિષ્યને દૂર કરવા તેઓનો સિંહ ફાળો રહ્યો હતો. આથી કામદારોમાં પણ સન્નાટો છવાયો છે અને મુંજવણમાં છે કે હવે તેમના હમદર્દ કંપનીમાંથી વિદાઈ લઈ રહ્યા છે. અજય અગ્રવાલએ પણ કંપનીના તમામ અધિકારી-કર્મચારીને સંબોધન કરી જણાવ્યું છે કે, કંપનીમાં ઘણાં ચઢાવ-ઉતાર જોયા છે, પરંતુ કંપનીને હરહંમેશ સારૃ પરફોર્મન્સ આપવાનો જ વિચાર કર્યો છે અને તેમાં કામદારોનો સહયોગ સાંપડ્યો છે. આવતા વર્ષમાં કંપની વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પણ પાઠવી છે. હવે સેવા નિવૃત્ત પછી પરિવારને સમય ફાળવશે. તેમનો પરિવાર અમદાવાદમાં રહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag