Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાર નવદંપતીઓએ પ્રભૂતામાં પગલાં પાડ્યાઃ
દ્વારકા તા. ૩૧ઃ દ્વારકામાં સમસ્ત ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧ર નવદંપતીઓએ પ્રભૂતામાં પગલાં પાડ્યા હતાં. આ સાથે રપ બટુકોએ ચૌલ સંસ્કાર, ૧૭ બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હતાં. શીખા અને જનોઈ બ્રાહ્મણ જ્ઞાતિની ઓળખ છે. ૧૬ સંસ્કારમાંના એક સંસ્કાર એટલે યોજ્ઞોપવિત સંસ્કાર. બટુક બ્રાહ્મણ માટે આ સંસ્કારનું ખૂબ જ મહત્ત્વ છે. બ્રાહ્મણ બટુકને ૯, ૧૧ કે ૧૩ વર્ષે યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવે છે. આ શુભ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તેમજ મંદિર સુરક્ષાના ડીવાયએસપી સમીર સારડા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને નવદંપતીઓને તથા બટુક-બાળકોને ઉપસ્થિત સૌ કોઈએ શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag