Advertisement
Author: નોબત સમાચાર

શહીદ દિને જામનગરની કલેક્ટર કચેરીમાં બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

તા. ૩૦ મી જાન્યુઆરીના દિવસે

જામનગર તા. ૩૧ઃ દર વર્ષે તારીખ ૩૦ જાન્યુઆરીના દેશભરમાં 'શહીદ દિન' મનાવવામાં આવે છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા મહાન વીરોની સ્મૃતિમાં આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે સવારે ૧૧ કલાકે ર મિનિટ મૌન પાળીને સ્વદેશ માટે પ્રાણની આહૂતિ આપનારા વીરો પ્રત્યે ઋણ અદા કરવામાં આવે છે.

જેના ઉપલક્ષે કલેક્ટર કચેરી, જામનગરમાં શહીદ દિન નિમિત્તે ઉપસ્થિત અધિકારીગણ અને કર્મચારીઓ દ્વારા ર મિનિટનુ મૌન પાળવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, ચીટનીશ ટુ કલેક્ટર એચ.ડી. પરસાણિયા, જન સંપર્ક અધિકારી એચ.સી. તન્ના, મામલતદાર (પ્રોટોકોલ) મહેશ ત્રિવેદી, મામલતદાર (ચૂંટણી) એચ.એચ. હાંસલિયા તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh