Advertisement
Author: નોબત સમાચાર

શ્વાસ ઉપડ્યા પછી નગરના વૃદ્ધનું મૃત્યુ

બેશુદ્ધ બની ગયા પછી વૃદ્ધનું પ્રાણ પંખેરૃ ઉડ્યુંઃ

જામનગર તા.૩૧ ઃ જામનગરના એક વૃદ્ધને શ્વાસ ઉપડ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યંુ છે. જ્યારે એક વૃદ્ધ પોતાના ઘરે બેશુદ્ધ બન્યા પછી મોતની ગોદમાં સરી ગયા છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.

જામનગરના પટેલકોલોની વિસ્તારની શેરી નં.૫ અને રોડ નં.૧માં રહેતા મનોજભાઈ નારણભાઈ જેઠવા નામના સાંઈઠ વર્ષના ભોઈ વૃદ્ધ ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ ચઢવા લાગતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેમના પુત્ર અંકિતભાઈએ પોલીસને જાણ કરી છે. મૃતક વૃદ્ધ જામનગર હોમગાર્ડઝમાં સેવા આપતા હતા.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં વસવાટ કરતા શામજીભાઈ ખોડાભાઈ વાઘેલા નામના પાંસઠ વર્ષના વૃદ્ધ રવિવારે બપોરે પોતાના ઘરે બેશુદ્ધ બની જતાં તેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના પુત્ર મનસુખભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે. જમાદાર જે.એચ. મકવાણાએ અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh