Advertisement
Author: નોબત સમાચાર

શ્રી રામચરિત માનસની ચોપાઈના અખંડ પાઠ અનુષ્ઠાનનો ૩૧મા વર્ષમાં મંગલ પ્રવેશઃ બે દિવસીય હોમાત્મક યજ્ઞ

જોડિયા સ્થિત ગીતા વિદ્યાલયના માનસ મંદિરમાં

જોડિયા તા.૩૧ ઃ જામનગર જિલ્લાના જોડિયા ગામમાં પ.પૂ. શ્રી વિરાગમુનિ સ્થાપિત રામ કૃષ્ણ સાધના ટ્રસ્ટ, ગીતા વિદ્યાલયમાં આવેલ માનસ મંદિરમાં શ્રી રામચરિત માનસની ચોપાઈના પાઠનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે. સુપ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપુના શુભ આશિષ અને પ.પૂ. વિરાગમુનિજીની શુભ પ્રેરણાથી તથા વિશ્વ કલ્યાણ અર્થે ગત તા.૨૯-૧-૧૯૯૩ના રોજ આ અનુષ્ઠાન શરૃ કરવામાં આવ્યું હતું. શ્રીરામચરિત માનસની ચોપાઈના અખંડ પાઠના અનુષ્ઠાનનો તા.૨૯-૧-૨૩ના ૩૧મા વર્ષમાં મંગલ પ્રવેશે બે દિવસીય હોમાત્મક યજ્ઞ યોજવામાં આવ્યો હતો. શ્રી રામચરિત માનસની પ્રત્યેક ચોપાઈ દ્વારા હોમાત્મક યજ્ઞ કરવામાં આવ્યો હતો. ગીતા વિદ્યાલયના સાધકો, ભાવિકો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, આ અખંડ અનુષ્ઠાનને તા.૨૯-૧-૨૩ના ૧૦,૯૫૭ દિવસ પૂર્ણ થયા છે. આ દરમિયાન રામાયણની ચોપાઈના અને ૬૩૦૩ અખંડ પાઠ પૂર્ણ કરવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh