Advertisement
Author: નોબત સમાચાર

માર્કેટીંગ યાર્ડમાં થયેલી ચોરીના ગુન્હામાં આરોપીનો કોર્ટમાં છૂટકારો

લસણ ચોરીનો હતો આરોપઃ

જામનગર તા.૩૧ ઃ જામનગરના માર્કેટીંગ યાર્ડમાંથી પંદર વર્ષ પહેલા લસણની થયેલી ચોરીના ગુન્હામાં સંડોવાયેલા આરોપીનો છૂટકારો ફરમાવવામાં આવ્યો છે.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ગઈ તા.૬-૫-૨૦૦૭ના દિવસે ૧૩ ગુણી લસણની ચોરી થઈ હતી. વિઠ્ઠલભાઈ ગોરધનભાઈ રાબડીયા નામના દુકાનદારે જે તે વખતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ દરમિયાન સહદેવસિંહ રેવુભા ઝાલા, બહાદુરસિંહ ટપુભા જાડેજા, કુલદીપસિંહ લાલુભા ઝાલા નામના ત્રણ શખ્સ સામે  ગુન્હો નોંધ્યોે હતો. આરોપીઓ પૈકીના કુલદીપસિંહ લાલુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપી સહદેવસિંહ તથા બહાદુરસિંહ મળી આવ્યા ન હતા. આરોપી કુલદીપસિંહ સામેનો કેસ ચાલી જતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ધર્મેશ ગોંડલીયા, રવિરાજસિંહ સોઢા, વિમલ ચૌહાણ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh