Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૧ઃ જામનગરમાં પાણી ટાંકા પાસે, કિશાનચોક પાસે આવેલ હઝરત પીર મહેમુદ શાહ બુખારી (ધૂમદાદા ધુમ બુખારીનો) જશ્ને ઉર્ષ મુબારક શૌકત-શાનથી ઉજવવામાં આવશે. આ અવસરે તા. ૧-ર-ર૩ ના રાત્રે દશ વાગ્યે નાત શરીફ, તા. ર-ર-ર૩ ના સાંજે ૬ વાગ્યે સંદલ શરીફ, સાંજે ૭ વાગ્યે આમ-ન્યાઝ તકસીમ કરવામાં આવશે તેમ પીએમબી કમિટીએ જણાવેલ છે.
ખંભાળીયામાં ઉર્ષ શરીફ
જામ ખંભાળીયામાં સ્ટેશન રોડ પર આવેલ હઝરત ખ્વાજા અજમુદીન ચીશ્તી ઉર્ફે અજમેરપીર ટેકરીવાળાનો ઉર્ષ મુબારક શાનદાર રીતે ઉજવવામાં આવશે. આ અવસરે તા. ૨-૨-૨૩ ના તકરીરનો પ્રોગ્રામ રાખેલ છે. જેમાં સુરેન્દ્રનગરના સૈયદ હાજી યુસુફમીયા નુરાની તકરીર ફરમાવશે. તા. ૫-૨-૨૩ જોહર નમાઝ પછી સંદલ શરીફ, સાંજે પાંચ વાગ્યે આમ-ન્યાઝ તકસીમ કરવામાં આવશે. રાત્રે દશ વાગ્યે અનીસ નવાબ અને આસિફ અજમેરીનો કવ્વાલીનો કાર્યક્રમ રાખેલ છે તેમ ખાદીમ કાસમશા મુસાશાએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag