Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોણા પાંચ વર્ષ પહેલા પોલીસમાં કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા.૩૧ ઃ જામનગરની એક તરૃણીને પોણા પાંચ વર્ષ પહેલા નિકાહની લાલચ આપી એક શખ્સ નસાડી ગયો હતો. આ તરૃણી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરના સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૮ના એપ્રિલ મહિનામાં એક પ્રૌઢે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની સગીર વયની પુત્રીને સરફરાજ અબ્દુલ સંધી નામનો શખ્સ નિકાહ કરવાની લાલચ આપી પોતાની સાથે નસાડી ગયો હતો. આ સગીરાની પાછળ પાછળ જતો તેમજ ધરાર તેની સાથે વાતો કરતો સરફરાજ એક દિવસ ફરવા જવાની લાલચ બતાવી તેણીને પોતાની સાથે લઈ ગયો હતો.
જામનગરથી રાજકોટ, અમદાવાદ અને ત્યાંથી અજમેર લઈ જવાયેલી તરૃણી પર અજમેરમાં આ શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હતું. તે પછી પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપી સરફરાજ અબ્દુલ સંધીની ધરપકડ કરી હતી. આ કેસ અદાલતમાં ચાલવા પર આવતા ફરિયાદપક્ષે ૧૬ સાક્ષી અને ૩૪ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ફૈઝલ ઓ. ચરીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag