Advertisement
Author: નોબત સમાચાર

વારંવાર પિયર ચાલ્યા જતાં અને કેસ કરતા પત્ની પાસેથી પતિને મળ્યા છૂટાછેડા

ફેમિલી કોર્ટે પતિની અરજી રાખી ગ્રાહ્યઃ

જામનગર તા.૩૧ ઃ જામનગરના એક યુવાને પોતાના પત્ની વારંવાર વિના કારણે પિયર ચાલ્યા જતાં હોવાના અને અવારનવાર ભરણપોષણના કેસ કરતા હોવાના કારણે છૂટાછેડા મેળવવા અદાલતમાં અરજી કરતા તેઓની અરજી ગ્રાહ્ય રાખી અદાલતે તેઓના છૂટાછેડા મંજૂર રાખ્યા છે.

જામનગરની નંદનવન સોસાયટીમાં રહેતા હિતેશ રમેશભાઈ ભટ્ટીના લગ્ન રાજકોટમાં રહેતા શિતલબેન બાબુભાઈ ચૌહાણ સાથે થયા પછી લગ્નના ત્રણેક વર્ષ સુધી પતિનો કોઈ વાંક ન હોવા છતાં પત્ની અવારનવાર પિયર ચાલ્યા જતા હતા અને ઝઘડા કરતા હતા.

પતિ મજૂરીકામે ગયા હોય તે દરમિયાન કહ્યા વગર જ પત્ની પિયર જતા રહેતા હોય પછી વારંવાર સમાધાન કરી તેણીને પરત લાવવા પડતા હતા. આમ કુલ દસેક વખત પત્ની સાથે સમાધાન કરી પરત ઘેર લાવવામાં આવ્યા હતા. શિતલબેન જ્યારે માવતરે ચાલ્યા જતા હતા ત્યારે ભરણપોષણના કેસ કરતા હતા. તે રીતે તેઓએ ત્રણ વખત ભરણપોષણના કેસ કર્યા હતા અને સમાધાન કરી કેસ પરત ખેંચી પતિ સાથે રહેવા આવતા હતા. છેલ્લે તેઓ પતિ સાથે વિના કારણે ઝઘડો કરી પોતાના માવતરે જતા રહેતા પતિ હિતેશ ભટ્ટીએ જામનગરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા મેળવવા અરજી કરી હતી.

જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમના પત્ની વારંવાર પિયર ચાલ્યા જાય છે, ભરણપોષણના કેસ કરે છે અને પતિ તથા તેમના પરિવારના સભ્યો સામે પોલીસ કેસ કરવાની ધમકી આપે છે. ફેમિલી કોર્ટે તેઓની દલીલ ગ્રાહ્ય રાખી છૂટાછેડાનો હુકમ કર્યો છે. આ કેસમાં પતિ તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh