Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ

ચેકની રકમ વળતરપેટે ચૂકવવા આદેશઃ

જામનગર તા.૩૧ ઃ જામનગરના એક આસામીને રૃા.૧ લાખ ૩૦ હજારના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા ફટકારી છે. ચેકની રકમ મુજબનું વળતર ચૂકવવા પણ આદેશ કરાયો છે.

જામનગરના સુમિત સુરેશભાઈ રાજ્યગુરૃ નામના આસામીને પૈસાની જરૃરિયાત પડતા રવિન્દ્રસિંહ નાનભા જાડેજા પાસેથી રૃા.૧ લાખ ૩૦ હજાર હાથઉછીના લઈ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક રવિન્દ્રસિંહે પોતાના બેંક એકાઉન્ટમાં રજૂ કરતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે ચેક પરત ફર્યાે હતો.

ત્યારપછી નોટીસ પાઠવાઈ હોવા છતાં ચેક મુજબની રકમ ભરપાઈ કરવામાં ન આવતા સુમિત રાજ્યગુરૃ સામે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સુમિત રાજ્યગુરૃને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ વળતરપેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે. ત્રીસ દિવસમાં વળતરની રકમ જમા કરાવવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદની સજા ફટકારાઈ છે. ફરિયાદી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, જયદીપસિંહ જાડેજા, હરીભાઈ, ગૌરાંગ મુંજપરા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh