Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા તાલુકાના કેશોદમાં તળાવ પાસે પ્રોટેક્શન દીવાલનું કામ પૂર્ણ

ખંભાળિયા તા. રરઃ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે આવેલા તળાવમાં ચોમાસા દરમિયાન પાણી ભરાતા આજુબાજુના રહેવાસીઓના ઘરમાં પાણી ભરાઈ જતા હતાં. આ સમસ્યા નિવારવા ગામના મહિલા સરપંચ રંજનબેન આહિરે પ્રોટેક્શન દીવાલનું કામ શરૃ કરાવ્યું હતું જે હાલમાં પૂર્ણ થયું છે. જેથી ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો અંત આવ્યો છે. અગ્રણી કશ્યપભાઈ ડેરે સહયોગ આપ્યો હતો. રંજનબેન આહિરના નેતૃત્વમાં કેશોદ ગામને આદર્શ ગામનો દરજ્જો મળ્યો હતો. લોકભાગીદારીથી રૃા. ૯૦ લાખના ખર્ચે સરકારી શાળાનું નવું બિલ્ડીંગ બનાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh