Advertisement
Author: નોબત સમાચાર

ડો. અતુલ ચગની આત્મહત્યાની ઘટના અંગે કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવા માંગણી

બારાડી લોહાણા મહાજન દ્વારા

ભાટિયા તા. રરઃ વેરાવળના સેવાભાવી ડો. અતુલ ચગની આત્મહત્યાની ઘટના અંગે બારાડી લોહાણા મહાજન દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી કસૂરવારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસ કેશુભાઈ રાયચુરા (મોટાભાઈ) ના માર્ગદર્શન હેઠળ બારાડી લોહાણા મહાજનના મંત્રી નિલેશભાઈ કાનાણી સાથે ભાટિયા લોહાણા મહાજનના પ્રમુખ દામોદરભાઈ દાવડા, રાવલ લોહાણા મહાજનના પ્રમુખ ભગવાનજીભાઈ પાબારી, લાંબા લોહાણા મહાજનના પ્રમુખના પ્રતિનિધિ વિનુભાઈ બારાઈ, કલ્યાણપુર લોહાણા મહાજનના પ્રમુખના પ્રતિનિધિ જગુભાઈ રાયઠઠ્ઠા, નંદાણા લોહાણા મહાજનના પ્રમુખ શશિકાન્તભાઈ સચદેવ તેમજ અન્ય ગામના સમાજના આગેવાનો મેહુલભાઈ સામાણી, ગોરધનભાઈ મોદી, મહેશભાઈ કાનાણી, ભગવાનજીભાઈ બથિયા, પ્રફુલભાઈ કોટેચા, બાબાભાઈ, પ્રવિણભાઈ મશરૃ, રાકેશભાઈ કોટચા, કિશનભાઈ નથવાણી, શરદભાઈ મોદી સહિતના તાલુકાના લોહાણા સમાજના આગેવાનોએ તાલુકા મામલતદાર રિંડાણી મેડમને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh