Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પુરાતત્ત્વીય સંંગ્રહાલયમાં મહાશિવરાત્રિ પર્વે શિવ ઉત્સવ પ્રદર્શન

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્યના રમત-ગમત યુવા અને સાંંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્ત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્ત્વીય સંગ્રહાલય, જામનગરમાં ગત તા. ૧૮-૧૯ ફેબ્રુઆરીના મહાશિવરાત્રિના પાવન પર્વે શિવઉત્સવ ચિત્ર પ્રદર્શન યોજાયું હતુું. આ ચિત્ર પ્રદર્શનમાં ૨૦ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં. પ્રદર્શનમાં જાણીતા કલાકારો નરેશ પી. લંંબાણી, શ્રીમતી ખુશ્બુ ગોહિલ દાવડિયા, કેતન ગોરડિયા અને સ્વીટુ ગજ્જર દ્વારા તૈયાર કરાયેલા એક્રેલિક કલર ચિત્રો અને કેનવાસ ચિત્રો પ્રદર્શિત કરાયા હતાં. જેમાં શિવલીંગ, આકાર-નિરાકાર, વાસ્તુશાસ્ત્ર, શિવાલયોમાં જોવા મળતી દેવી-દેવતાની મૂર્તિઓ, શિવના પ્રતીકો, વાસ્તુશાસ્ત્ર, શિવ પાર્વતી નૃત્ય, અર્ધનારેશ્વર સ્વરૃપ અને શિવ સૌમ્ય-રૃદ્ર સ્વરૃપ આધારિત ચિત્રો જામનગરની જનતાએ નિહાળ્યા હતાં. આ પ્રદર્શનનું ઉદ્ધાટન શહેરના જાણીતા પીઢ કલાકાર શ્રી ઈન્દુબેન સોલંકી દ્વારા કરાયું હતું. ઈન્દુભાઈ સોલંકીએ નવા ઉભરતા કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમ  જામનગરના ક્યૂરેટર ડો. ધીરજ વાય. ચૌધરીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh