Advertisement
Author: નોબત સમાચાર

સીબીઆઈ મનિષ સિસોદિયા સામે જાસૂસીના આરોપો સંદર્ભે કેસ નોંધાશે

કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજુરી

નવી દિલ્હી તા. ૨૨ઃ દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આપના નેતા મનિષ સિસોદિયાની મુશ્કેલી વધશે, કારણ કે જાસૂસી મામલે સીબીઆઈ કેસ નોંધશે.  આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજુરી આપી દીધી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાસૂસી કેસમાં ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા વિરૃદ્ધ કેસ નોંધવાની મંજુરી આપી દીધી છે. સીબીઆઈની તપાસમાં કેજરીવાલ સરકાર પર ભાજપના નેતાઓની જાસૂસી કરવાનો આરોપ લાગ્યો છે. ૨૦૧૫ માં આમ આદમી સરકારે રાજકારણીઓ અને અધિકારીઓની જાસૂસી કરી હતી. આ માટે ફીડબેક યુનિટ બનાવવામાં આવ્યું હતું. સીબીઆઈને આ તપાસમાં તેમનું વિરૃધ લાગેલા આરોપો સાચા જણાયા છે. તેથી ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ સીબીઆઈ મનિષ સિસોદિયા વિરૃદ્ધ કેસ દાખલ કરશે.

માહિતી અનુસાર, ૨૦૧૫ માં સત્તામાં આવ્યા બાદ દિલ્હી સરકારે એક ફીડબેક  યુનિટની રચના કરી હતી જેનું કામ દરેક વિભાગ પર નજર રાખવાનું હતું. સરકારે કહ્યું કે, તેમનો હેતુ વિભાગોના ભ્રષ્ટાચાર પર નજર રાખવાનો છે. ત્યારબાદ આ મામલે સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેના દ્વારા દિલ્હી સરકાર વિપક્ષી પાર્ટીઓના કામકાજ પર નજર રાખી રહી છે.

સીબીઆઈએ દિલ્હી સરકારના તકેદારી વિભાગના અધિકારીની ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ૨૦૧૬ માં, એજન્સીએ જણાવ્યું હતુું કે, સોંપાયેલ કાર્યો ઉપરાંત, એફબીયુએ અગ્રણી રાજકીય વ્યક્તિઓની જાસૂસી કરી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર, એફબીયુએ આઠ મહિના દરમિયાન ૭૦૦ થી વધુ કેસોની તપાસ કરી હતી. જેમાંથી ૬૦ ટકા કેસમાં રાજકીય ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh