Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃપિયા ચાર લાખ દંડપેટે ભરવા કરાયો હુકમઃ
જામનગર તા.૨૨ ઃ જામનગરની એક ફાયનાન્સ પેઢી પાસેથી સિક્કાના આસામીએ રૃા.૪ લાખ વ્યાજે મેળવ્યા પછી આપેલો ચેક બેંકમાંથી પરત ફર્યાની ફરિયાદ કોર્ટમાં કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.
જામનગરમાં બ્રિજરાજ એન્ટરપ્રાઈઝ નામની નાણા ધિરધારની ઓફિસ ચલાવતા રઘુરાજસિંહ બળવંતસિંહ જાડેજા પાસેથી જામનગર તાલુકાના સિક્કાના વિજયસિંહ જાડેજાએ રૃા.૪ લાખ વાર્ષિક બાર ટકાના વ્યાજે મેળવ્યા પછી રકમની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા રઘુરાજસિંહે નોટીસ પાઠવી આરોપી સામે અદાલતમાં ફરિયાદ કરી હતી.
ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, આ રકમનો વ્યવહાર કરવા માટે ફરિયાદી સમક્ષ નથી, તેમને આપવામાં આવેલી અનુમતીથી મોટો વ્યવહાર તેઓએ કર્યાે છે, રકમ પરત અપાઈ ગયા પછી ચેક રાખી લઈ તેઓએ ગેરઉપયોગ કર્યાે છે તેની સામે ફરિયાદી પક્ષે દલીલ કરી હતી કે, આરોપીએ ચેક આપ્યો છે તે સ્વીકાર્ય છે, રકમ લીધી હોવાનું પણ ગર્ભિત રીતે સ્વીકાર્યું છે, રકમ ચૂકવી આપી હોય તો તે સાબિત કરવાની જવાબદારી આરોપીની છે. અદાલતે બંને પક્ષો તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી આરોપી વિજયસિંહ જાડેજાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને રૃા.૪ લાખની રકમ ફરિયાદીને વળતરપેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag