Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરીનું વાંધા સાથે ભરપાઈ થયેલું બીલ વ્યાજ સાથે પરત આપવા હુકમ

જામનગર તા.રર ઃ જામનગરના જીઆઈડીસી ફેસ-રમાં એક કારખાનામાં ચૌદ વર્ષ પહેલા ચેકીંગ કરી વીજ કંપનીએ પુરવણી બીલ આપ્યું હતું. તે બીલ ભરી આપી કારખાનેદારે અદાલતનો આશરો લીધો હતો. ભરપાઈ થયેલી રકમ વ્યાજ સાથે પરત આપવા અદાલતે હુકમ કર્યાે છે.

જામનગરના જીઆઈડીસી ફેસ-રમાં એચ.પી. ઈન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવતા પરસોત્તમ દામજીભાઈ કોડીનારીયાને ત્યાં વર્ષ ૨૦૦૯ માં વીજ કંપનીના અધિકારીએ ચેકીંગ કર્યા પછી મીટર કબજે કર્યું હતું. તેમાં કોઈ સર્કીટ કે અન્ય કોઈ ગેરરીતિ જોવા મળી ન હતી. તેમ છતાં લેબ. રોજકામમાં ગેરરીતિ દર્શાવી પરસોત્તમભાઈને રૃા. ૩,૨૮,૦૪૦ની રકમનું બીલ આપવામાં આવ્યું હતું.

તે બીલ વાંધા સાથે ભરી આ કામદારે ખાસ અદાલતમાં દાવો કર્યાે હતો. તે કેસ દીવાની અદાલતમાં ટ્રાન્સફર થયા પછી ચાલી જતાં અદાલતે વર્ષ ૨૦૧૦માં ભરેલી રકમ પર અઢાર ટકા વ્યાજ સાથે તે રકમ પરત આપવા વીજ કંપનીને હુકમ કર્યાે છે. તેથી વીજ કંપનીએ હવે રૃા.૧૦ લાખ ઉપરાંતની રકમ ચૂકવવાની થશે. વાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh