Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા શિક્ષણાધિકારી સહિત અધિકારીઓએ પાઠવી શુભેચ્છાઓ
જામનગર તા. ૨૨ઃ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં જિલ્લાના ૧૬૯૫ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી તથા ઝોનલ અધિકારી દ્વારા પરીક્ષાર્થીઓને આવકારી શુભેચ્છાઓ પાઠવાઈ હતી.
ગઈકાલથી ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં જામનગર જિલ્લામાંથી ૧,૧૯પ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સહભાગી થવા જઈ રહ્યા છે, ત્યારે જામનગર જિલ્લા શિક્ષણાધીકારી એમ.કે. ભટ્ટ તથા ઝોનલ અધિકારી સી.એમ. મહેતાએ શહેરની દયાનંદ કન્યા વિદ્યાલયમાં આ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી આવકાર્યા હતાં અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લામાં કુલ છ કેન્દ્રોમાં વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરમાં ચાર તથા ધ્રોળમાં બે કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. તા. ર૦ ફેબ્રુઆરીથી તા. ર માર્ચ સુધી ચાલનારી આ પરીક્ષામાં ૧,૬૯પ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag