Advertisement
Author: નોબત સમાચાર

આર્થિક પરિસ્થિતિ કથળી જતાં નગરના યુવાને ઝેર પી લઈ ટૂંકાવી લીધુ જીવતર

મૃતકના ભાઈનું પોલીસે નોંધ્યું નિવેદનઃ

જામનગર તા.રર ઃ જામનગરના એક અપરિણીત લુહાર યુવાને આર્થિક પરિસ્થિતિ કથળતા વિષપાન કર્યું હતું. આ યુવાનનું સારવારમાં મૃત્યુ થયું છે. પોલીસે મૃતકના મોટાભાઈનું નિવેદન નોંધ્યા પછી તપાસ શરૃ કરી છે.

જામનગરના સુભાષબ્રિજ પાસે આવેલી એમ.બી. બિલ્ડીંગ પાસે રહેતા જયેશભાઈ દેવજીભાઈ સોલંકી નામના બેતાલીસ વર્ષના લુહાર યુવાને અંબાજીના ચોક પાસે આવેલી પઠાણફળી પાસે જઈ ગઈ તા.૧૩ની સવારે ઝેરી દવા પી લીધી હતી.

દવાની અસર થવા લાગતા બેશુદ્ધ બની ગયેલા જયેશભાઈને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું મોટાભાઈ રાજેન્દ્ર દેવજીભાઈ સોલંકીએ પોલીસમાં જાહેર કર્યું છે.

તેઓએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યા મુજબ છૂટક મજૂરીકામ કરતા જયેશભાઈ અપરિણીત હતા. થોડા સમયથી તેઓની આર્થિક પરિસ્થિતિ કથળી હતી જેના કારણે વ્યથિત રહેતા તેમના નાનાભાઈએ વિષપાન કરી જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh