Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગીતા-કવિતા અને નૃત્ય પ્રદર્શનની પ્રસ્તૃતિઃ
જામનગર તા. ૨૨ઃ તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરનાર કેડેટ્સનો વિદાય સમારોહ યોજાયો હતો. તેમાંં ધો.૧૨ ને સમર્પિત ગીતો, કવિતા અને નૃત્ય પ્રદર્શનની કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. અભ્યાસ પૂર્ણ કરનાર ધો. ૧૨ ના કેડેટ્સે પોતાના સ્કૂલના અનુભવોને ભાવાત્મક અને લાગણીશીલ સ્વરમાં વ્યકત કર્યા હતાં. આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્યએ જણાવ્યું હતું કે, સૈનિક શાળા બાલાચડીમાં વિતાવેલ શાળા જીવનના સાત વર્ષ બાલાચડીના જીવનનો શ્રેષ્ઠ ભાગ છે. તેમણે કેડેટ્સને શ્રેષ્ઠ બનાવા માટે ગુરુ મંત્ર દિશા આપ્યો જેનો અર્થ છે શિસ્ત, ઉદ્દેશ્ય, પ્રામાણિકતા, સખત મહેનત અને મહત્વાકાંક્ષા. તેમણે કેડેટ્સના વ્યક્તિત્વમાં ૫જીએસ જેનો અર્થ છે ગ્રિટ, ગ્રૂમ, ગ્રિન, ગટ્સ અને ગ્લોરી કેળવવા જણાવ્યું હતું. તેમણે આગામી બોર્ડ પરીક્ષાઓ માટે કેડેટ્સને શુભેચ્છા પાઠવી હતી. અંંતે સ્કૂલના આચાર્ય, અધિકારીઓ અને સ્ટાફે આઉટગોઈંગ કેડેટ્સને તેમના ભવિષ્યના પ્રયત્નો માટે અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag