Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂના નાગના તથા જામજોધપુરના પ્રૌઢના થયા અપમૃત્યુઃ
જામનગર તા.૨૨ ઃ જામનગરના સરૃ સેક્શન રોડ પર રહેતા એક વૃદ્ધાના પહેરેલા કપડામાં સળગતી દીવાસળી અડકી જતાં આ વૃદ્ધા ગંભીર રીતે દાઝ્યા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ થયંુ છે. જ્યારે જૂના નાગનાના પ્રૌઢનું ફસડાઈ પડ્યા પછી અને જામજોધપુરના પ્રૌઢનું છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના સરૃ સેક્શન રોડ પર આવેલા કોનિક ટાવરમાં રહેતા સવિતાબેન પુંજાભાઈ દામોદરા નામના અડસઠ વર્ષના વિપ્ર વૃદ્ધા ગઈ તા.૩૧ની સાંજે પોતાના ઘરમાં દીવાબત્તી કરતી વેળાએ કપડામાં સળગતી દીવાસળી અડકી જતાં દાઝી ગયા હતા. સારવાર માટે જી.જી. હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા આ વૃદ્ધાનું મૃત્યુ થયું છે. તેમના પુત્ર મેહુલભાઈ દામોદરાએ પોલીસને જાણ કરી છે.
જામનગરના જૂના નાગના ગામમાં રહેતા પ્લમ્બર અમૃતલાલ જેઠાભાઈ રાઠોડ નામના બાવન વર્ષના પ્રૌઢ સોમવારે સવારે જૂના નાગના ગામની નદીના કાંઠા પાસેથી પસાર થતા હતા ત્યારે કોઈ રીતે ચક્કર આવી જતાં ફસડાઈ પડ્યા હતા. સારવારમાં ખસેડાયેલા અમૃતલાલનું મૃત્યુ થયાનું સુરેશભાઈ રાઠોડે પોલીસને જણાવ્યું છે.
જામજોધપુર શહેરના રામવાડી વિસ્તારમાં આવેલી પંચવટીમાં વસવાટ કરતા બાબુભાઈ કારાભાઈ સીર નામના પ્રૌઢને છાતીમાં દુખાવો ઉપડતા તેઓનું સારવારમાં મૃત્યુ થયાનું પુત્ર રાહુલભાઈએ જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag