Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તથિયા ગામમાં ખેડૂતને વીજ આંચકો ભરખી ગયોઃ
જામનગર તા. ૩૦ઃ જામનગર નજીકના દરેડ ગામમાંથી ચાર દિવસ પહેલા બેભાન હાલતમાં મળી આવેલા ભિક્ષુક જેવા અજાણ્યા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જયારે ખંભાળિયાના તથિયા ગામમાં પોતાના ખેતરમાં પાણી વાળતા ખેડૂતને વીજ આંચકો લાગતા ભોગ લેવાયો છે.
જામનગર નજીકના દરેડ ગામમાં આવેલી આલ્ફા સ્કૂલ પાસેની ગલીમાં ગયા શુક્રવારે બપોરે ભિક્ષુક જેવા લાગતા એક વ્યક્તિ બેભાન હાલતમાં જોવા મળતા રણજીતસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં રહેતા રિક્ષા ડ્રાઈવર રાજેશભાઈ ભૂપતભાઈ કાપડીએ તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તે યુવાનની સારવાર શરૃ કરવામાં આવી હતી.
અંદાજે પાંત્રીસેક વર્ષની વયના લાગતા આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. રાજેશભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા અને સંબંધીઓેની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના તથિયા ગામમાં રહેતા રણમલભાઈ કાનાભાઈ પીંડારીયા નામના ખેડૂત સોમવારે રાત્રે પોતાના ખેતરમાં કપાસના પાકમાં પાણી વાળતા હતા. ત્યારે ઈલેકટ્રીક મોટરના કેબલમાંથી તેમને વીજ આંચકો લાગ્યો હતો. સારવારમાં ખસેડવામાં આવેલા રણમલભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર લખમણભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial