Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાસક એનડીએ અને વિપક્ષી મહાગઠબંન આઈએનડીઆઈએ-બન્નેને નકામ ગણાવ્યા!
નવી દિલ્હી તા. ૩૦ઃ બહુજન સમાજ પાર્ટી કોઈપણ ગઠબંધનમાં જોડાવાના બદલે એકલા હાથે જ આગામી લોકસભાની ચૂંટણી લડશે, તેવી ચોખવટ બીએસપી સુપ્રિમો માયાવતીએ ટ્વિટ દ્વારા કરી છે.
માયાવતીએ બીએસપી વિપક્ષી પાર્ટીઓના આઈ.એન.ડી.આઈ.એ. ગઠબંધનમાં સામેલ થવાની અટકળોને ફગાવી દીધી છે. બીએસપી સુપ્રિમોએ સ્પષ્ટ કર્યું છે કે, તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણી અને આગામી વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડશે.
એવી અટકળો ચાલી રહતી કે બસપા આઈએનડીઆઈએ ગઠબંધનમાં સામેલ થઈ શકે છે અને તેના માટે સંપૂર્ણ કાવતરૃ પણ કરવામાં આવી રહ્યું છે. યુપીમાં કોંગ્રેસે દલિત સમુદાયમાંથી આવતા બ્રિજલાલ ખબરીને હટાવ્યા હતાં, જેના કારણે એવો મેસેજ આવ્યો હતો કે માયાવતીને આરામદાયક લાગે તે માટે તેમણે ખબરીને હટાવીને યુપીની કમાન અજયને સોંપી દીધી છે. રાયને એવું ન લાગે કે એક તરફ કોંગ્રેસ તેમને મહાગઠબંધનમાં સામેલ કરવા માગે છે અને બીજી તરફ તેણે યુપીમાં દલિત સમુદાયમાંથી આવતા એક નેતાને કમાન પણ આપી દીધી છે.
જો કે, હવે માયાવતીએ ટ્વિટ કરીને આવી તમામ અટકળોને ફગાવી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, એનડીએ અને આઈએનડીઆઈએ ગઠબંધન મોટાભાગે ગરીબ વિરોધી, જાતિવાદી, સાંપ્રદાયિક મૂડીવાદી નીતિઓ ધરાવતી પાર્ટીઓ છે. જેમની નીતિઓ સામે ભાજપ સતત લડે છે. એટલા માટે તેમની સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાનો પ્રશ્ન જ નથી.
અન્ય પાર્ટીઓથી અલગ થઈને તેમની સાથે જોડાવા માટે તેમણે મોટી પાર્ટીઓ પર પણ નિશાન સાધ્યું છે. પૂર્વ સીએમએ કહ્યું કે બસપા, ર૦૦૭ ની યુપી વિધાનસભાની જેમ જુગાડને બદલે પરસ્પર ભાઈચારાના આધારે તૂટેલા અને વિખરાયેલા કરોડો ઉપેક્ષિત સમાજને જોડીને ચાર રાજ્યોમાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial