Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા જેલના ૧૫૦ કેદી માટે ફરાળી પ્રસાદી

જલારામ સેવા ટ્રસ્ટ-હાપાની અનોખી સેવાઃ

જામનગર જિલ્લા જેલના ૧૫૦ કેદી માટે જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા શ્રાવણ માસના બીજા સોમવારે ફરાળી પ્રસાદી મોકલવામાં આવી હતી. જલારામ સેવા ટ્રસ્ટ હાપા (પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ) તરફથી મોકલવામાં આવેલ ફરાળમાં ખીચડી, શાક અને કઢીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લા જેલ સુપ્રિટેન્ડેન્ટ એમ.એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ આયોજીત આ સેવા કાર્યમાં જલારામ સેવા ટ્રસ્ટ-હાપાના પ્રમુખ રમેશભાઈ દત્તાણી, ટ્રસ્ટના રાજેન્દ્રભાઈ હિંડોચા, નવનીતભાઈ સોમૈયા, ભાવેશભાઈ દત્તાણી, રિક્ષાવાળા યુનુસભાઈ અને વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh