Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં માળી કામ સાથે સંકળાયેલા માટે ત્રિ-દિવસીય તાલીમ

રર સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજીઃ

જામનગર તા. ૩૦ઃ રાજ્યમાં બાગાયતનો વ્યાપ વધારવા માટે તેમજ તાલીમ થકી યુવાનો તેમના કૌશલ્યમાં વૃદ્ધિ કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા 'અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ)' અમલમાં મૂકવામાં આવ્યો છે. આ તાલીમ હેઠળ પ્રતિદિન તાલીમાર્થીઓને રૃા. રપ૦ ની મર્યાદામાં સ્ટાઈપેન્ડ તેમજ તાલીમાર્થીને ગાર્ડન ટૂલ કીટ આપવામાં આવશે. તાલીમનો સમયગાળો પ્રતિદિન ૮ કલાકનો રહેશે. આ યોજના અંતર્ગત મહાનગરપાલિકા, અર્બન ઓથોરીટી હસ્તકના બગીચા તથા બાગાયત ખાતાની નર્સરી, સીઓઈ સેન્ટર, કૃષિ યુનિવર્સિટીમાં પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. તાલીમ સત્રમાં ભાગ લેવા માટે ઈચ્છુક ૧૮ થી ૪પ વર્ષના વયજુથમાં સમાવિષ્ટ માળીકામ સાથે સંકળાયેલા વ્યક્તિઓએ આઈ.ખેડૂત પોર્ટલ પર જઈને આગામી તા. રર સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા પછી તેની પ્રિન્ટ નકલ અને જરૃરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૃમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગરમાં રૃબરૃ અથવા ટપાલના માધ્યમથી જમા કરાવવાની રહેશે. વધુ માહિતી મેળવવા માટે કચેરીના ફોન નં. ૦ર૮૮-રપ૭૧પ૬પ પર સંપર્ક સાધી શકાશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh