Advertisement
Author: નોબત સમાચાર

જનમાષ્ટમી નિમિત્તે દેવભૂમિ દ્વારકાની વધારાની બસો ત્રણ દિવસ દોડાવાશે

મુસાફરોની સુવિધા માટે

જામનગર તા. ૩૦ઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) જામનગર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ત્રણ દિવસ માટે વધારાની બસો દોડાવવામાં આવનાર છે.

જન્માષ્ટમીના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય છે. આથી મુસાફરોને સુવિધા મળી રહે તે હેતુથી જામનગર ડિવિઝન દ્વારા દ્વારકા માટે વધારાની બસો તા. ૬ થી ૯ સપ્ટેમ્બર સુધી દોડાવવામાં આવશે. જેમાં દ્વારકાથી હર્ષદ (ભાડું રૃા. ૧ર૦), દ્વારકાથી જામનગર (રૃા. ૧૮૪), દ્વારકાથી રાજકોટ (રૃા. ર૪૯), દ્વારકાથી પોરબંદર (રૃા. ૧પ૬), દ્વારકાથી સોમનાથ (રૃા. ર૬૧) અને દ્વારકાથી જૂનાગઢ (રૃા. રર૭) નો સમાવેશ થાય છે.

એક જ ગ્રુપના પ૧ થી વધુ મુસાફરો ગ્રુપ બુકીંગ કરાવે તો તેમને એસ.ટી. બસ જે તે નિયત વિસ્તારથી તેમના વતનના ગામ સુધી સુવિધા મળશે. આ માટે ડેપો મેનેજર-દ્વારકા (૬૩પ૯૯ ૧૮પ૪ર) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh