Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેઢા પાસે વાવેતર કરવાના પ્રશ્ને બબાલઃ
જામનગર તા. ૩૦ઃ કાલાવડના મોરીદળ ગામના ખેડૂતને રવિવારે રાત્રે બે શખ્સે ખેતર પાસે આવી તું અહીં શેઢા પાસે વાવેતર કેમ કરે છે તેમ કહી પાઈપ, ઢીકાપાટુથી માર માર્યાે હતો.
કાલાવડ તાલુકાના મોરીદળ ગામમાં વસવાટ કરતા અને કાલમેઘડા ગામ તરફ જવાના રસ્તા પર ખેતર ધરાવતા રણછોડભાઈ ઘેલાભાઈ સરમાળી નામના ખેડૂત રવિવારે રાત્રે પોતાના ખેતરે હતા.
આ વેળાએ ત્યાં ધસી આવેલા ભૂપતભાઈ વેલજીભાઈ સરમાળી અને જયંતિભાઈ ગાંડુભાઈ સરવાળીએ તું શેઢા પાસે વાવેતર કેમ કરે છે તેમ કહી બોલાચાલી શરૃ કર્યા પછી ગાળો ભાંડી હતી. તે પછી ભૂપતભાઈએ પોતાની પાસે રહેલો પાઈપ રણછોડભાઈને માથામાં ફટકાર્યાે હતો અને જયંતિભાઈએ ઢીકાપાટુથી માર મારી ઈજા પહોંચાડી હતી. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રણછોડભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને શખ્સ સામે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial