Advertisement
Author: નોબત સમાચાર

બિહારમાં સર્જાયેલા ભયંકર અકસ્માતમાં ૭ લોકોના કરૃણ મૃત્યુઃ ચારને ગંભીર ઈજા

હાઈ-વે પર ઉભેલા કન્ટેનર સાથે સ્કોર્પિયો અથડાઈ ગઈ

પટણા તા. ૩૦ઃ બિહારમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ઉભેલા કન્ટેનર સાથે સ્કોર્પિયો અથડાતા ૭ લોકોના મોત થયા છે અને ૪ ગંભીર રીતે ઘવાયા છે.

બિહારના રોહતાસ જિલ્લાના શિવસાગરમાં હાઈવે પર એક મોટો રોડ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં સ્કોર્પિયો ગાડીમાં સવાર સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. તમામ મૃતકો કૈમુરના કુડારી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. આ ઘટનામાં ચાર લોકોને ગંભીર ઈજા થઈ છે.

મળતી માહિતી મુજબ, તમામ લોકો ઝારખંડના રાંચીથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતાં, ત્યારે રસ્તામાં વાહનનો ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું, અને હાઈવે પર પાર્ક કરેલી ટ્રકમાં પાછળથી સીધી સ્કોર્પિયો અથડાઈ હતી. આ કારમાં કુલ ૧ર લોકો સવાર હતાં.

સુદેશ્વર શર્માના પત્ની રાજમુની દેવી (પ૦), પુત્રી પ્રેમલતા (૩પ) અને પુત્ર રવિનંદનકુમાર (૩૦)નું અવસાન થયું છે. તે જ સમયે આદિત્ય કુમારના ૧ર વર્ષના પિતા અરવિંદ શર્માનું પણ અવસાન થયું છે. આ અકસ્માતમાં ૧૬ વર્ષના કિશોર અને પ વર્ષના બાળકનું પણ મોત થયું છે. સુદેશ્વર શર્મા ગંભીર રીતે ઘાયલ છે. અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના મોત નિપજતાં પરિવાર ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh