Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આ વિસ્તારોમાં બે દિવસ પાણી વિતરણ બંધ રહેશે

જામ્યુકો દ્વારા પાઈપલાઈન મરામત કામગીરીના કારણે

જામનગર તા. ૩૦ઃ જામનગરમાં મહાનગર પાલિકા દ્વારા પાઈપલાઈન મરામતની કામગીરી કરવામાં આવનાર હોવાથી સમર્પણ ઝોન 'એ' માં બે દિવસ પાણી વિતરણ બંધ રહેશે.

શહેરના વોર્ડ નંબર ૭, પંડિત દીનદયાળ આવાસ કોલોની રોડ, ઓવરબ્રિજ પાસે રેલવે ક્રોસિંગમાં રેલવે પાટાની નીચે પાણીની મુખ્ય પાઈપલાઈન લીકેજ હોવાથી રેલવે ક્રોસિંગની પાઈપલાઈન બદલાવાની કામગીરી કરવાની રહે છે. આથી તા.૧-૯-ર૩ અને તા. ર-૯-ર૩ ના સમર્પણ એ ઝોન હેઠળ આવતા વિસ્તારો શિવમ સોસાયટી, ઓશવાળ ર,૩ અને ૪ પટેલ નગરી, સુન્દરમ્ સોસાયટી, મહાવીર પાર્ક ૧ થી ૩, શિવમ પાર્ક ૧ થી ૩, સિદ્ધિ પાર્ક ૧ થી ૩, કેવલિયા વાડી, મેહુલ નગર, ગોકુકલધામ, પંડિત દીનદયાળ આવાસ, દવા બજાર, અંધાશ્રમ, હનુમાન ચોક, હિરાપાર્ક, ચેમ્બર કોલોની, ધનંજય સોસાયટી, પ્રગતિ પાર્ક, અજંતા સોસાયટી, મયુર પાર્ક, લક્ષ્મી પાર્ક, વાસાવિરા, રેવન્યુ કોલોની, અપૂર્વ રેસીડેન્સી, સમર્પણ વિલા, મયુર વિલા વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. તા. ૩-૯-ર૩ થી ઉપરોકત વિસ્તારમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે.

ઉપરોકત વિસ્તારો સિવાયના સમર્પણ એ અને બી ઝોન વિસ્તારમાં પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ રહેશે. તેમ જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh