Advertisement
Author: નોબત સમાચાર

કચરો-એઠવાડ ઊઠાવી પર્યાવરણનું જતન કરતા લાખોટા નેચર ક્લબના સેવાર્થીઓ

પદયાત્રીઓ અને સેવા કેમ્પો દ્વારા સર્જાતો

જામનગર તા. ૩૦ઃ પવિત્ર શ્રાવણ માસમાં અનેક શ્રદ્ધાળુઓ જામનગરથી પગપાળા ભોળેશ્વર જતા હોય છે, જ્યારે આવા પદયાત્રીઓ વેફરોના ખાલી પેકેટ, પાણીની ખાલી બોટલો, ખોરાકના પડીકાઓ જાહેર રસ્તા ઉપર ફેંકી દેતા હોય છે. આ ઉપરાંત પદયાત્રી માટે ફરાળના ચાલતા સેવા કેમ્પ સ્થળે પણ ખાણીપીણીની ખાલી ડીસોના ઢગલા જોવા મળતા હોય છે.

આથી જામનગરની લાખોટા નેચર ક્લબ દ્વારા આવા રસ્તા ઉપરથી પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરવાની સેવા કરવામાં આવી હતી. આ સેવામાં ઉદ્યોગપતિ, વેપારીઓ જોડાયા હતાં. જેમને ઉદ્દેશ્ય માત્ર પર્યાવરણની રક્ષાનો છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા ટ્રેક્ટરની સેવા આપવામાં આવે છે. છેલ્લા બે રવિવારથી ચાલતી આ સેવા આગામી બે રવિવાર પણ ચાલુ રાખવામાં આવનાર છે. સલામ છે આવા લાખોટા નેચર ક્લબના સેવાર્થીઓને.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh