Advertisement
Author: નોબત સમાચાર

પિપળેશ્વર મહાદેવના મંદિરમાં જંગલેશ્વર સ્વરૃપના દર્શન

જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી, શેરી નં. ૧ માં આવેલ અતિપૌરાણિક અને સુપ્રસિદ્ધ પિપળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના બીજા સોમવારે 'જંગલેશ્વર'ના દર્શન યોજવામાં આવ્યા હતાં. આ તમામ ખર્ચ શારડા ફોરેક્સ પરિવારના હરિઓમભાઈ શારડા અને રામભાઈ શારડા તરફથી આપવામાં આવેલ હતો. આ તમામ ડેકોરેશન સમયે મંદિરના પૂજારી પરિમલભાઈ, મંડળના એડવોકેટ પાર્થ ડી. સામાણી અને પ્રફુલભાઈ, કિરીટભાઈ, નયનભાઈ, નંદનભાઈ, જીગરભાઈ, જતિનભાઈ તેમજ અન્ય સભ્યોએ સેવાઓ આપી હતી. આ અલૌકિક દર્શનનો લાભ બહોળા પ્રમાણમાં 'છોટીકાશીના શિવભક્તો'એ લઈ ધન્યતા અનુભવી હતી. પ્રસ્તુત તસ્વીરમાં પિપળેશ્વર મહાદેવજીનું નીજ મંદિર અને 'જંગલેશ્વર'ના દર્શન દૃષ્ટિમાન થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh