Advertisement
Author: નોબત સમાચાર

ઓબીસીને ર૭ ટકા અનામતને જામનગર ભાજપનો આવકારઃ ફટાકડા ફોડ્યા

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં

ગુજરાતની ભાજપ સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ર૭ ટકા બક્ષીપંચ અનામતનો નિર્ણય લેવામાં આવતા જામનગરમાં ભાજપ દ્વારા આ નિર્ણયને આવકારી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. રાજ્ય સરકારના બક્ષીપંચ માટેના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ર૭ ટકા અનામતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણિયા અને મેરામણ ભાટુ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, કોર્પોરેટરો વગેરેએ એકબીજાના મોઢા મીઠા કરાવી ફટાકડા ફોડી આ નિર્ણયને વધાવ્યો હતો. તેવી જ રીતે જિલ્લા ભાજપ કાર્યાલયમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ડો. વિનોદભાઈ ભંડેરી સહિતના કાર્યકર્તાઓ દ્વારા પણ એકમેકના મોઢા મીઠા કરાવી ફટાકડા ફોડવામાં આવ્યા હતાં અને ભાજપ સરકારના નિર્ણયને આવકાર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh