Advertisement
Author: નોબત સમાચાર

વીજ કંપનીનો વસૂલાતનો દાવો રદ્દ કરતી અદાલત

રૃા.૧૩ લાખ ઉપરાંતનો હતો દાવોઃ

જામનગર તા.૩૧ ઃ જામનગરના એક આસામીને વીજ કંપનીએ સોળ વર્ષ પહેલા રૃા.૧૩ લાખ ઉપરાંતનું પુરવણી બીલ આપ્યા પછી તે રકમની વસૂલાત માટે અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો રદ્દ કરવામાં આવ્યો છે.

જામનગરના નગાભાઈ ખીમાભાઈ ચાવડા નામના આસામીને ત્યાં વર્ષ ૨૦૦૬માં વીજ કંપનીના અધિકારીઓએ ચેકિંગ કર્યા પછી આ આસામી વીજચોરી કરતા હોવાનો આરોપ મૂકી તેઓને રૃા.૧૩,૯૪,૪૬૪નું બિલ આપ્યુંં હતું. તે રકમ આસામીએ ભરપાઈ નહીં કરતા વીજ કંપની દ્વારા જામનગરની દિવાની અદાલતમાં નગાભાઈ ચાવડા સામે દાવો કરવામાં આવ્યો હતો.

તે દાવો ચાલવા પર આવતા બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે વીજ કંપનીની બાકી રકમની વસુલાતનો દાવો રદ્દ કર્યો છે. પ્રતિવાદી તરફથી વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી ભૂત, નિશાબેન બારોટ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh