Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરના હાર્દ સમા વિસ્તાર એવા ગુરૃદ્વારા થી જી. જી. હોસ્પિટલ તરફ જવાના માર્ગને થોડા દિવસો પહેલા નવા બની રહેલા ઓવર બ્રીજના કામ માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી થોડા દિવસો થી આ રોડને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. ગુરૃદ્વારા પાસે તેમજ સર્કલ થી થોડે આગળ રોડનું કામ કરી અને ખાડાઓ એમ જ મુકી દેવામાં આવ્યા છે. આ રોડ પરથી દિવસમાં અસંખ્ય એમ્બ્યુલન્સ તેમજ નાના મોટા વાહનો પસાર થાય છે ત્યારે આ ખાડાઓને તાકીદે રીપેરીંગ કામ કરી અને રાહદારીઓને તંત્ર દ્વારા રાહત આપે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. જે તે કોન્ટ્રાકટર દ્વારા આ જગ્યા પર કામ પૂર્ણ થયા પછી જે ખાડાઓ એમ જ મુકી દેવામાં આવે છે તો તંત્ર દ્વારા આવા કોન્ટ્રાક્ટરને તાકીદ કરવી જોઈએ કે, આ ખાડાઓની મરામત કરી અને ત્યાર પછી જ ખુલ્લો મુકવો જોઈએ. આ ખાડાઓના કારણે વાહન ચાલકો એમા ખાસ કરીને મોટી ઉમરના લોકોને અકસ્માત થવાનો પણ ભય રહે છે તો તંત્ર દ્વારા તાકીદની અસર થી આ ખાડાઓ બુરી અને સરખો કરવા લોકોમાં માંગ ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial