Advertisement
Author: નોબત સમાચાર

સઈ દેવરિયાના ખેડૂતની ગિરવે પડેલી જમીન વ્યાજખોર પિતા-પુત્રએ વેચી મારી

મૂળ રકમ કરતા અઢી ગણી રકમ ચૂકવાયા પછી પણ

જામનગર તા.ર૪ ઃ ભાણવડના સઈ દેવરિયા ગામના એક ખેડૂતે ત્રણ વર્ષ પહેલા પોતાની જમીન ગિરવે મૂકી રૃા.૧૧ લાખ ૨૦ હજાર વ્યાજે લીધા હતા. તે જમીન વ્યાજખોર પિતા-પુત્રએ વેચી નાખી રૃા.૨૮ લાખ મેળવી લીધા પછી પણ વધુ વ્યાજની માંગણી કરતા ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ભાણવડ તાલુકાના સઈ દેવરિયા ગામના જીવણભાઈ લખમણભાઈ સોલંકી નામના ખેડૂતે ત્રણેક વર્ષ પહેલા પૈસાની જરૃરિયાત ઉભી થતાં તેઓએ પરેશ મગનભાઈ શીરા અને મગનભાઈ બેચરભાઈ શીરા નામના પિતા-પુત્ર પાસે પોતાની ખેતીની જમીન ગિરવે મૂકી હતી. આ શખ્સોએ તે જમીનનો દસ્તાવેજ કરાવી લઈ રૃા.૧૧ લાખ ૨૦ હજાર વ્યાજે આપ્યા હતા.

તે પછી જીવણભાઈ પાસે અવારનવાર વ્યાજની ઉઘરાણી કરી પરેશ તથા તેના પિતા મગનભાઈએ તે જમીન અન્યને વેચી નાખી હતી. જીવણભાઈએ મૂળ રકમ તથા વ્યાજ સાથે રૃા.૨૮ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં પિતા-પુત્રએ તે જમીન વેચતા અને તે પછી પણ વ્યાજની ઉઘરાણી કરતા વાજ આવી ગયેલા જીવણભાઈએ ગઈકાલે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh