Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી કંપનીમાં તોડફોડના કેસમાં આરોપીનો થયો છૂટકારો

જામનગર તા.૨૪ ઃ એસ્સાર કંપનીમાં લેબર ગેઈટ પાસે સોળ વર્ષ પહેલા તોડફોડ કરવા અને વાહન સળગાવવા નો બનાવ બન્યો હતો. તે કેસમાં એક આરોપીનો અદાલતે છૂટકારો કર્યાે છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલી એસ્સાર કંપનીના લેબર ગેઈટ નજીક ગઈ તા.૩૦-૮-૨૦૦૬ના દિને થયેલી તોડફોડ તથા વાહન અને ફર્નિચર સળગાવી નાખવાના બનેલા બનાવમાં જે તે વખતે આઈપીસી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, જીપી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો.

આ ગુન્હામાં સુરેન્દ્રસિંગ ગીરીવરસિંગ પટેલ નામના આરોપીની પણ ધરપકડ કરાઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કીર્તિદાબેન ઉપાધ્યાય, ધવલ નાકર, ભાવિક લવા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh