Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં એસ.ટી.ની ચાર નવી બસોનો આરંભ

બે લકઝરી બસ તથા બે મીની બસની સુવિધા ઉપલબ્ધ

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના જામનગર વિભાગ દ્વારા જામખંભાળીયા એસ.ટી. ડેપોમાં ચાર નવી બસો જેમાં બે લકઝરી બસ તેમજ બે મીની બસ ફાળવવામં આવી છે. જેમાં જામખંભાળીયા બસ સ્ટેન્ડ પરથી નવી બસના નવા રૃટનો લીલી ઝંડી આપી જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પૂર્વ મહામંત્રી જીગ્નેશભાઈ પરમાર અને અશોકભાઈ કાનાણી તેમજ સાંસદના કાર્યાલયના કરશનભાઈ ગોજીયા આગેવાનોની ઉપસ્થિતિમાં આરંભ કરાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ નવી બસ સેલ્ફ સ્ટાર્ટ કરી ચલાવી હતી. દરેક મુસાફરો અને સ્ટાફને આગેવાનોએ મીઠા મોઢા કરાવી શુભેચ્છા પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડેપો મેનેજર મિલનભાઈ રાઠોડ અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh