Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદસભ્યપદ ગુમાવ્યા પછી યાત્રા દસ્તાવેજો જમા કરાવી દીધા હતાંઃ
નવી દિલ્હી તા. ર૪ઃ રાહુલ ગાંધીને પાસપોર્ટ બનાવવા કોર્ટની એનઓસીની જરૃર હોવાથી તે સંદર્ભે આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થનાર છે. આ પહેલા રાહુલ ગાંધીએ સાંસદ પદી છીનવાઈ જતાં રાજદ્વારી પાસપોર્ટ જમા કરાવી દીધો હતો. રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં કહ્યું છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે દેશની બહાર જવા પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી.
નેશનલ હેરાલ્ડ કેસના આરોપી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાંસદ તરીકે અયોગ્ય જાહેર કરાયા પછી યાત્રા દસ્તાવેજો જમા કરાવી દીધા હતાં અને તેના પછી હવે નવા 'સામાન્ય પાસપોર્ટ' માટે નો-ઓબ્જેક્શન સર્ટીફિકેટ મેળવવા માટે તેમણે દિલ્હીની કોર્ટમાં અરજી કરી હતી. તેમણે એનઓસી મેળવવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ અરજી કરી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં નામ હોવાના કારણે રાહુલ ગાંધીને સામાન્ય પાસપોર્ટ આપવા માટે કોર્ટમાંથી એનઓસીની જરૃર છે.
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વૈભવ મહેતાએ રાહુલ ગાંધીની અરજી પર નેશનલ હેરાલ્ડ કેસના ફરિયાદી ભાજપના નેતા સુબ્રમણ્યમ્ સ્વામીનો જવાબ માંગ્યો હતો અને આજે સુનાવણી માટે આ મામલાની સૂચિબદ્ધ કરી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, 'અરજદારની સંસદની સદસ્યતા માર્ચ ર૦ર૩ માં સમાપ્ત થઈ ગઈ હતી અને આ રીતે તેમણે પોતાનો રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કરી દીધો હતો અને તે નવા સામાન્ય પાસપોર્ટ માટે અરજી કરી રહ્યા છે... હાલની અરજી દ્વારા અરજદારે સામાન્ય પાસપોર્ટ બનાવવા માટે પરવાનગી માંગી છે અને તેમને એનઓસી જોઈએ છે. રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં કહ્યું છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે દેશની બહાર જવા પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial