Advertisement
Author: નોબત સમાચાર

કુશ્તીબાજો દ્વારા તા. ર૮-મે ના દિવસે જ નવા સંસદ ભવનની સામે મહિલા મહાપંચાયત યોજવાની ઘોષણા

જંતર-મંતર પર ધરણા કરી રહેલા

નવી દિલ્હી તા. ર૪ઃ જંતર-મંતર પર ધરણા કરી રહેલા કુશ્તીબાજો દ્વારા ર૮ મી મે ના નવા સંસદ ભવન સામે જ મહિલા મહાપંચાયત યોજવાની ઘોષણા કરી છે.

સલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ વિરૃદ્ધ દેશના પ્રખ્યાત કુશ્તીબાજો જંતર-મંતર પર સતત ધરણાં કરી રહ્યા છે. આ દરમિયાન કુશ્તીબાજોએ નવા સંસદભવન સામે ર૮ મે ના મહિલા મહાપંચાયત યોજવાનું આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દિવસે જ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, તેથી આ ઘોષણાનું મહત્ત્વ વધી જાય છે.

મંગળવારે વિરોધ કરી રહેલા કુશ્તીબાજોએ ન્યાયની માંગ સાથે જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી કૂચ કરી હતી. આ કૂચ પછી કુશ્તીબાજ વિનેશ ફોગાટે પત્રકારોને જણાવ્યું હતું કે, 'અમે નવા સંસદભવન સામે ર૮ માર્ચે શાંતિપૂર્ણ મહિલા મહાપંચાયત યોજવાનું નક્કી કર્યું છે.' વિનેશ ફોગાટે કહ્યું કે આ મહાપંચાયતનું નેતૃત્વ મહિલાઓ કરશે. આ સાથે તેમણે કહ્યું કે આ જે અવાજ ઊઠાવવામાં આવ્યો છે તે દૂર દૂર સુધી પહોંચવો જોઈએ. જો આજે દેશની દીકરીઓને ન્યાય મળશે તો આવનારી પેઢીઓ તેનાથી પ્રેરણા લેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh