Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૪ ઃ જામનગરના સચાણા ગામમાં યોજાયેલા ઉર્ષના કાર્યક્રમમાં ગયેલી એક તરૃણીનું અપહરણ કરવા અંગે ગુન્હો નોંધાયા પછી એક આરોપીની જામીન અરજી પોક્સો કોર્ટે મંજૂર રાખી છે.
જામનગર તાલુકાના સચાણા ગામના ગઈ તા.૨૪ એપ્રિલના દિને યોજાયેલા ઉર્ષના કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલી એક તરૃણીનું ચાર શખ્સ બાઈકમાં અપહરણ કરી ગયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.
આ ગુન્હામાં પોલીસે તપાસ પછી મોહસીન આમદ કુરેશી નામના શખ્સની ધરપકડ જેલ હવાલે કર્યાે હતો. આ આરોપીએ જામીનમુક્ત થવા પોક્સો અદાલતમાં અરજી કરતા અદાલતે તેને જામીન પર છોડવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રમેશ ચૌહાણ, સુનિલ સાગઠીયા, હિતેશ લાખાણી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial