Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારાભાઈ વિરૃદ્ધ સારાભાઈ ફેઈમ
મુંબઈ તા ૨૪ઃ 'સારાભાઈ વિરૃદ્ધ સારાભાઈ' શોમાં જાસ્મિનનો રોલ કરનાર એકટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું મંગળવારે હિમાલય પ્રદેશમાં એક અકસ્માતમાં નિધન થયું હતું. વૈભવીનો પરિવાર ચંદીગઢમાં રહેતો હતો. વૈભવીના અંતિમ સંસ્કાર બુધવારે બપોરે ૧ વાગ્યે મુંબઈમાં કરવામાં આવશે. હસતી અને હસાવતી એક્ટ્રેસના અચાનક મોતથી અભિનેત્રીના ફેન્સનું દિલ તૂટી ગયું છે. અભિનેત્રીના પરિવાર સહિત ફેન્સને પણ ઝાટકો લાગ્યો છે. સૌ કોઈ ભીની આંખે વૈભવીને યાદ કરી રહ્યા છે.
જાણકારી મુજબ સોમવારે હિમાચલના કુલ્લુના બંજારમાં એક્ટ્રેસનો અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વૈભવી ઉપાધ્યાય પોતાના મંગેતર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. તે તીર્થન વેલીની મુલાકાત લેવા જઈ રહી હતી, પરંતુ એક વળાંક પર કારે કાબૂ ગુમાવ્યો હતો અને એક્ટ્રેસનો અકસ્માત થયો હતો. એક્ટ્રેસની કાર ખીણમાં પડી ગઈ હતી. 'સારાભાઈ વિરૃદ્ધ સારાભાઈ'માં વૈભવી સાથે કામ કરનાર નિર્માતા-અભિનેતા જેડી મજેઠિયાએ આ દુઃખદ સમાચારને સમર્થન આપ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial