Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયોઃ
જામનગર તા. ૨૪ઃ તાજેતરમાં ઓમ ટ્રેનિંગ સેન્ટર (મનો દિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા)ને આધુનિક સુવિધાસભર નવા ભવનનું ભૂમિપૂજન ભૂમિના દાતા ભીખુભા હરિસિંહ વાઢેર તથા તેમના પત્ની ગજરાબા, ઉદ્યોગપતિ અને સંસ્થાના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ સોમાણી તથા તેમના પત્ની સીમાબેન, સંસ્થાના સંચાલિકા શ્રીમતી ડિમ્પલબેન જિતીનભાઈ મહેતાના હસ્તે કુંભ મૂકીને કરવામાં આવ્યું હતું.
આ સંસ્થાના સ્થાપક-સંચાલિકાનું સ્વપ્ન હતું કે જામનગર શહેરમાં મનો દિવ્યાંગ માટે ભવ્ય તાલીમ સંસ્થા બનાવવી આ સ્વપ્નને સાકાર કરવા સ્વામિનારાયણ ટ્રાન્સપોર્ટવાળા દાતા ભીખુભા હરિસિંહ વાઢેરએ ભૂમિદાન કર્યું છે. આ કાર્યક્રમમાં આશાબેન દવે, ગીરીશભાઈ મહેતા, નિલમબેન મહેતા, ભીખુભાઈ બાવરીયા, શ્રીમતી કૈલાશબેન બાવરીયા, શ્રીમતી મનિષાબેન પારસભાઈ ગાંધી, રોહિતભાઈ જોશી, શ્રીમતી જયશ્રીબેન જોશી, પ્રો. પી.બી. જાડેજા, કે.બી. જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સાંદીપની વિદ્યાનિકેતનના પૂ. રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના શિષ્ય શાસ્ત્રીજી જગદીશભાઈ આચાર્ય વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. વિદ્વાન ભૂદેવોએ વેદોક્ત રીતે વિધિ કરાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial