Advertisement
Author: નોબત સમાચાર

સેવાભાવિ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી દ્વારા રૃા. ૪૨ લાખનું દાન

કૈલાસ કેન્સર હોસ્પિટલને

ખંભાળીયા તા. ૨૪ઃ ખંભાળીયાના ભટ્ટ પરિવારના જમાઈ તથા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર તેમજ સમાજ સેવક જગદીશભાઈ ત્રિવેદીએ તેમના કાર્યક્રમો થકી થનારી તમામ આવક શિક્ષણ, આરોગ્ય તથા સેવાકાર્યો માટે દાન સ્વરૃપે આપી દેવાનો સંકલ્પ કર્યો છે.

તાજેતરમાં તેમણે કેનેડામાં પાંચ શહેરમાં કાર્યક્રમો કર્યા હતાં. તેમાં થયેલી રૃા. ૪૨ લાખની આવકને ગોરજમાં આવેલ કૈલાસ કેન્સર હોસ્પિટલને દાન સ્વરૃપે અર્પણ કરી છે. કેનેડા અને અમેરિકામાં તેમના અઢાર કાર્યક્રમ નક્કી થયા છે. જેમાં થનાર આવક મુનિ સેવાશ્રમ, નિર્દોષાનંદ હોસ્પિટલ, ટીંબી કૈલાસ કેન્સર હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટરને અર્પણ કરવાની જાહેરાત કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh