Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં બટુક ભોજનઃ હિન્દુ સેના દ્વારા પૂજારીનું સન્માન

છેલ્લા એક વર્ષથી બટુક ભોજનની અવિરત પ્રવૃત્તિઃ

જામનગર તા. ર૨ઃ જામનગરના લાલપુર બાયપાસથી કાલાવડ બાયપાસ વચ્ચે આવેલા શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા એક વર્ષથી પૂ. સ્વામી શ્રી રામેશ્વરાનંદજીના આશ્રમે દરેક સુદ બીજના દિવસે બપોરના સમયે બટુક ભોજન કરાવાઈ રહ્યું છે. જે છેલ્લા એક વર્ષથી બટુક ભોજનની અવિરત પ્રવૃત્તિ ચાલી રહી છે અને જેમાં પ૦ થી ર૦૦ બાળકો આ પ્રસાદીનો લાભ લેતા હોય છે.

બીજના દિવસે હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટની હાજરીમાં જામનગર જિલ્લા યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, શહેર પ્રમુખ દીપક પીલાઈ અને હિન્દુ સેના શહેરના વાલી શશિકાંતભાઈ સોનીએ આ આશ્રમનું  ધ્યાન રાખતા પુરુષોત્તમદાસ બાપુ તેમજ દ્વારકાદાસ બાપુનું સન્માન હિન્દુ સેનાના સ્મૃતીચિન્હથી કરવામાં આવેલ હતું. તેમજ હિન્દુ સનાના યોગેશ્વર દ્વિવેદીએ પૂજારીનું પણ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

સાથોસાથ આસપાસમાંથી આવતા બાળકોને પ્રસાદી આપી બટુક ભોજન કરાવી પુણ્ય કાર્યમાં સહભાગી બન્યા હતાં અને આવતા સમયમાં બટુક ભોજનમાંથી અન્નક્ષેત્ર ચાલુ થાય તેવી ભગવાન શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે  આરતી પછી પ્રાર્થના કરી સ્વામી શ્રી રામેશ્વરાનંદજીના આશીર્વાદ લીધા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh